ગઢ ખાતે સંતો અને દાતાઓની હાજરીમાં પેથાણી વિદ્યાસંકુલના નવીન વિભાગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો ગ્રામજનોની હાજરીમાં દાતાઓનું સન્માન કરાયું અને દાતાઓ વતી જૈન શ્રેષ્ઠી પ્રવિણભાઈ એમ. શાહ દ્વારા 4 કરોડનું દાન લાવવા બદલ સંસ્થાના પ્રમુખ ખોડીદાસ પટેલનું પાઘડી પહેરાવીને સન્માન કરાયું માણસ પોતાની સાથે કશું લઈને જન્મ્યો નથી અને કશું સાથે લઈને જવાનો નથી, એવો પવિત્ર ભાવ દાનશીલતાને પ્રેરે છે. માણસ માટે પૃથ્વીદાતા છે, નદી દાતા છે, પવન દાતા છે, સૂર્યદેવ પ્રકાશનો દાતા છે, વાદળ દાતા છે એમાંના કોઈને પોતે દાતા હોવાનો અહંકાર નથી. કારણ કે તેઓ દાનને કર્તવ્ય સમજે છે. પ્રભુ સંપત્તિ માત્ર પોતાને કે પોતાના પરિવારને ઠારવા માટે નથી આપતો, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વ એક વિશાળ પરિવાર છે. એને ઠારવા માટે ઈશ્વર મનુષ્યને ધન-સંપત્તિ આપે છે. અથર્વવેદમાં એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ''શતહસ્ત સમાહર, સહસ્ત્ર હસ્ત સંકિર'' - મતલબ કે સેંકડો હાથોથી (ધન) એકઠું કરો અને હજારો હાથે તે વિતરિત કરો. જે માણસ શિક્ષણ માં દાન આપે છે. એને મહાદાન કહેવાયું છે. શ્રી...
શ્રી ગઢ કેળવણી મંડળ ગઢ સંચાલિત પેથાણી વિદ્યાસંકુલ સંલગ્ન માણેકબા હોલમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ બનાસકાંઠા DEO ઓફિસના EI અધિકારી બેનશ્રી ગીતાબેન ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો તા. 09/03/2023 ને ગુરુવારે પેથાણી વિદ્યાસંકુલ ખાતે આવેલ માણેકબા હોલમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ મુખ્ય મહેમાનશ્રી બનાસકાંઠા DEO ઓફિસના EI અધિકારી માન. શ્રીમતી ગીતાબેન ચૌધરી અને અતિથિ વિશેષ શ્રી સરસ્વતી કેળવણી વિકાસ ટ્રસ્ટ મડાણાના ટ્રસ્ટીશ્રી અને ઉધોગપતિ માન. શ્રી મફતલાલ ડી. ભુટકા અને રોટરી સેવાદળ ગઢના પ્રમુખશ્રી દેવજીભાઈ કરેણની ઉપસ્થિતમાં યોજાયો. આ પ્રસંગે સૌપ્રથમ સંસ્થાની નાની દીકરીઓ દ્વારા સુંદર મજાનું અભિનય સાથે સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. વિદાય લેતા ધો. 10 અને 12 ના વિધાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરેક મહેમાનશ્રીઓ દ્વારા વિધાર્થીઓને સારા પરિણામ બાબતે શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના હસ્ત લિખિત ક્ષિતિજ અંકનું વિમોચન EI અધિકારીશ્રી ગીતાબેન ચૌધરીના હસ્તે કર...
ટિપ્પણીઓ